Tuesday, 10 February 2015

ઇશ્વર નો કમાલ

ઇશ્વર નો કમાલ
          હમણાં થોડા દિવસ પહેલા મારા હાથમાં ડૉ. આઈ. કે. વીજળીવાળા ની બુક મોતીચારો ભાગ ૭ “શબ્દની સુગંધ” આવી હતી. તેમાં “ભગવાન પર ગુસ્સો” નામની વાર્તામાં એક માણસની વાત છે. તે માનસ એક દિવસ ખૂબજ હેરાન થય છે. રાત્રે ભગવાન તેના સ્વપ્નમાં આવે છે. તે વ્યક્તિ ભગવાનને પ્રશ્ન કરે છે કે શા માટે તે આટલો બધો હેરાન થયો. ત્યારે ભગવાન તેને જવાબ આપે છે કે સવારમાં યમદુત તેને લેવા આવવાના હતા. તેના ઉઠતાની સાથે હાર્ટએટેક દ્વારા તેનું મૃત્યુ થશે. એવી યોજના નિષ્ફળ કરવા ભાગવાને આવું કર્યું.રસ્તામાં એક દારૂડિયા વાહનચાલક સાથે તેનું અકસ્માત અટકાવવા તેમણે તેની કાર ખરાબ કરી વગેરે... વગેરે. ભગવાને આવું એટલા માટે કહ્યું કે તે માણસ આગળના દિવસે અનાથ બાળકોને દાન કર્યું હતું અને બદલામાં અનાથ બાળકોએ તેના માટે લાબા જીવની પર્થના કરી હતી.
       પરંતુ આ વસ્તુ વાસ્તવિક કેટલી હદે? શું વાસ્તવિક જીવનમાં આવું બને ખરું? જો હા તો પછી શા માટે આટલા બધા લોકોનું મૃત્યુ થાય  છે? અને ધારો કે આ વસ્તુ સાચી બની જાય તો? તો શું દુનિયામાં કોઈ પણ માણસને ક્યારેય મૃત્યુની કે અન્ય મુશ્કેલી નો ડરજ ન રહે જો ભગવાન આમ દાન આપવાથી  પોતાના પ્લાન બદલવા માંડે તો શું થાય.
            કોય ચોર ચોરી કરવા જાતા તે પહેલા દાન કરી આવત અને જોતે પકડાય જવાનો હોત તો તેના બદલે તે નો પકડાત કારણ કે તેને દાન કરલું છે તો ભગવાન તેને બચlવીલેત.કોઈ ખુની ખુન કરતા પહેલા દાન કરત અને સાથે ભોજન પણ આપેત અને બદલામાં લોકો પાસે તેના લાબા જીવનની પાર્થના કરવાનું કહેત. તે ખુની ખૂનના ગુનામાંથી પકડાય જાય તો પણ પેલી પાર્થના ના કારણે ભગવાન તેની મદદે દોડી આવત અને તે પેલા પોલીસના મનમાં તે ખૂનીને છોડી મુકવાની ભાવના પેદા કરત અને તે છુટી જાત? કોઈ ભીખારીને દાનમાં રૂપિયો મળેત તે રૂપિયો તે વાપરવાને બદલે બીજા ભીખાનીને અથવા જારુરત મંદા વ્યક્તિને અપેતઅને બદલામાં ઈશ્વરને પ્રાર્થના કરેત કે જેણે મને આ રૂપિયો આપ્યો છે જેની મદદથી હું તમારી મદદ કરી રહ્યો છુ તેની તમામ મિલકત મને મળે. અને બીજે દિવસે જે અમીર તે ગરીબ અંદ ગરીબ તે અમીર હોત.
                જરા વિચાર કરી જુઓ જો આ વાર્ત માં દર્શવ્યા મુજબ વાસ્તવિક જીવનમાં બધું થતું હોત તો આપણા સમાજની પરિસ્થિતિ કઈક આ મુજબ હોત. પરંતુ આ વસ્તાવિતા નથી. કોઈને દાન દેવાથી કે પછી દુઅlથી જીવન બદલઈ જતું નથી. વર્તમાન બનતી  ઘટના એ સ્વપ્નમાં થાય છે. એવું પણ બની શકે અથવા વ્યક્તિ પોતાના સેટીસ્ફેક્સ્ન આપવા માટે આવું વિચારતો હોય અને તે  સ્વપ્ન સ્વરૂપે બહાર આવતું હોય.
             આ વાર્તા દ્વારા એટલું સાબિત થાય છે કે વ્યક્તિ જીવનમાં જે પણ કાઈ બને છે તે હમેશ સારા માટે બને છે. પરંતુ આ વસ્તુ ક્યાં કેલીટ યોગ્ય છે. આ વાર્તા લોકોને નીરlશાવાદ માંથી આશાવાદ તરફ દોરે છે. જો કોઈક ધટનાથી વ્યક્તિનું સર્વસ્વ લુટાય જાય તો પણ ઈશ્વરે એમાં કઈક યોગ્ય જ વિચર્યું હશે તેમ વિચાર કરવાનો અને પતાનું જીવન નવેસરથી જીવવાનું શરુ કરવાની પ્રેરણા આપે છે. પરંતુ એ માટે વ્યક્તિએ કાર્ય કરવું પણ જરૂરી છે.
              આ વાર્તા કઈક અંશે વ્યક્તિને ખોટા માર્ગે પણ દોરી જાય છે. મનુષ્યના જીવનમાં જે પણ કાઈ બને છે તે ઈશ્વરની કૃપાથી બને છે. આમ વિચારી વ્યક્તિ ફક્ત તેના જીવનમાં બનતો તમાશો જોયા કરે છે. પરંતુ કાઈ કાર્ય કરતા નથી. હા જો કે દરક વ્યક્તિ આવું નથી વિચારતાપરંતુ ઈનડીરેકલી આ વાર્તા કઈક આવો પણ મેસેજ આપે છે. કર્મ કાર્ય વગર ફક્ત જે બને છે તે જોયા કરવું.

             પણ ખેર દરેક વસ્તુ ને બે પાસા હોય છે. એ વ્યક્તિ પર આધારિત છે કે તે કઈ રીતે વસ્તુને જોવે છે.       

No comments:

Post a Comment